
ગુનેગાર ક્યાંક કોઈક કડી મૂકીને જતો હોય છે અને કાયદાના લાંબા હાથ એના સુધી પહોંચી જાય છે એ બન્ને વાતો આપણે જોયેલી-સાંભળેલી છે. હાલમાં એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર થયેલા ટોચના પાંચ બ્રોકરોનો બચાવ કરવા માટે પી. ચિદમ્બરમ મેદાને પડ્યા ત્યારે એમના છૂપા સંબંધ જાણે પ્રકાશમાં આવી ગયા હોય એવું બન્યું.
આ જ પી. ચિદમ્બરમ જ્યારે કેન્દ્રમાં નાણાપ્રધાન હતા ત્યારે જુલાઈ 2013માં એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી અને એ કેસના નામે એમણે એનએસઈએલની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) વિરુદ્ધ ફોરવર્ડ માર્કેટ્સ (એફએમસી) મારફતે નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ બહાર પડાવ્યો હતો. હવે એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાને વકીલ બનીને નોટ ફિટ ઍન્ડ પ્રોપર ઠરેલા બ્રોકરોનો બચાવ કરવાની હાલમાં કોશિશ કરી હતી. સદ્ નસીબે સર્વોચ્ચ અદાલતે એવું થવા દીધું નથી.
બન્યું એવું છે કે એનએસઈએલના કેસમાં ટોચના પાંચ બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરનારા સેબીના આદેશ સંબંધે એનએસઈએલનો પક્ષ સાંભળવાનો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે.
બ્રોકરો – – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડે પોતાની સામે સેબીએ જારી કરેલા નોટ એન્ડ ફિટ પ્રોપરના આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકાર્યો છે. આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે બ્રોકરોના પક્ષની સુનાવણીની સાથે સાથે એનએસઈએલને પણ સેટમાં રજૂઆત કરવાની તક મળવી જોઈએ. આથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેને અદાલતે સ્વીકારી લીધી છે.
નોંધનીય છે કે પીઢ પત્રકાર શાંતનુ ગુહા રે લિખિત પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં પી. ચિદમ્બરમની સાથે સાથે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકનું નામ પણ સાંકળવામાં આવ્યું છે. હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એફએમસીએ કોના કહેવાથી નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશ બહાર પાડ્યો હતો. એનએસઈએલની પેમેન્ટ કટોકટી 2013માં બહાર આવી હતી, પરંતુ ગેરરીતિ કર્યાનો આક્ષેપ ધરાવનારા બ્રોકરો આબાદ છટકી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 2015માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે ટોચની પાંચ કોમોડિટી બ્રોકિંગ કંપનીઓ – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડ દ્વારા એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે રમેશ અભિષેકે એ અહેવાલ બહાર આવવા જ દીધો નહીં. આખરે એફએમસીનું સેબીમાં વિલીનીકરણ થયા બાદ સેબીએ ઉક્ત બ્રોકરો સંબંધે તપાસ હાથ ધરી અને 2019માં પાંચે બ્રોકરોને બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કર્યા હતા. બ્રોકરોએ સેબીના આદેશને સેટમાં પડકાર્યો છે.
એનએસઈએલનું કહેવું છે કે સેબીએ બ્રોકરો વિરુદ્ધના અનેક આક્ષેપો બાબતે વિચાર કર્યો નથી. આથી આ કેસમાં તેને સેટમાં સુનાવણીની તક મળવી જોઈએ. સેટે એ અરજીનો ટેક્નિકલ આધાર પર અસ્વીકાર કર્યો તેથી એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેનો ઉક્ત ચુકાદો મંગળવારે 24મી ફેબ્રુઆરીએ અદાલતે આપ્યો હતો.
63 મૂન્સે નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશને કારણે પોતાને થયેલા નુકસાન બદલ પી. ચિદમ્બરમ ઉપરાંત ભૂતપૂર્વ સનદી અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો છે એ વાત આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ.
ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં બ્રોકરો વતી દલીલો કરી એ જાણીને સમગ્ર નાણાકીય વર્તુળોમાં આઘાતની લાગણી પ્રસરી હતી. એનએસઈએલનું પણ કહેવું છે કે ચિદમ્બરમના કાળમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશને અનુચિત રીતે એનએસઈએલની બાબતે પ્રમોટર કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપરની કલમ લાગુ કરી, જેને કારણે કંપનીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ઉક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં સવાલ એ જાગે છે કે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા હતા. શું એમને એનએસઈએલ કેસમાં પોતાની સંડોવણી ખૂલ્લી પડવાનો પણ હવે ડર રહ્યો નથી? શું તેઓ દેશના કાયદાઓને ઘોળીને પી ગયા છે કે પછી કાયદાઓને અને અદાલતોને પોતાની જાગીર સમજીને ચાલી રહ્યા છે?
તેઓ જે સમજતા હોય, જનતાને હવે એમનાં કરતૂતોની એક પછી એક ઘટનાક્રમના આધારે જાણ થઈ રહી છે અને એવું કહેવાવા લાગ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય તોળાઈને ખરા દોષિતોને સજા ચોક્કસ થશે.
—————————–
આતો ગુજરાતીમાં જે કહેવત છે ને કે “આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા” એના જેવું છે. આ બધા દલાલોનો બચાવ કરવા માટે ચિદમ્બરમથી સારો વકીલ આખી દુનિયામાં નો મળે. કારણકે આ આખા કારસ્તાન પાછળનું ભેજું તો એનું જ છે.
LikeLike