બે પુસ્તકોમાં પી. ચિદમ્બરમ અને એમની ચંડાળચોકડીની કુંડળી ખૂલ્લી કરી દેવાઈ હોવા છતાં દેશના નાણાકીય તંત્રમાં એમની વગ ઓસરતી નથી!

તસવીર સૌજન્યઃ http://www.pgurus.com

પરસ્પર સંકળાયેલા આ લોકોની પાસે એવી તે કઈ ‘માસ્ટર કી’ છે કે એનએસઈના બધા ગુના માફ થાય છે અને બીજાના નાના ગુના બદલ કઠોર કાર્યવાહી થાય છે !

ભારતના નાણાકીય તંત્રમાં હજી પણ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને એમના સાથીઓનું વર્ચસ્ હોવાનું એક પછી એક કિસ્સા પરથી પુરવાર થઈ રહ્યું છે. આપણે ચિદમ્બરમ સાથેના અનેક સરકારી અમલદારોના સંબંધો વિશે વાતો કરી ગયા છીએ, પરંતુ જેમની પહોંચ ઘણી ઉંચી હોય એ લોકો નખશિખ પ્રામીણિક વડા પ્રધાન જેવી વ્યક્તિને ગણકારતા નહીં હોવાનું દરેક વખતે દેખાઈ આવે છે.

કાજુ કૌભાંડના આરોપીનું એનએસઈ કનેક્શન

પી. ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો થયા અને તેઓ જેલમાં રહી આવ્યા, પરંતુ હજી પણ સ્થિતિ બોલીવૂડની ફિલ્મોના ડાયલોગની જેમ ‘મેરે આદમી ચારો ઓર ફૈલે હુએ હૈ’ જેવી છે. થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા ‘ધ માર્કેટ માફિયા’ના બીજા પ્રકરણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પી. ચિદમ્બરમને એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ સાથે ઘરોબો છે. હાલમાં જ એનબીએચસી (નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન)ના કાજુ કૌભાંડ સંબંધે આરોપી ગણાવાયેલા ડૉ. વિજય કેળકર સામેલ હોવાનું ઉક્ત પુસ્તકમાં કહેવાયું છે. એ ઉપરાંત એનએસઈના ભૂતપૂર્વ ઉચ્ચાધિકારીઓ ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન સી. બી. ભાવે, સનદી અધિકારી કે. પી. કૃષ્ણન પણ ટોળકીમાં સામેલ છે.

એનએસઈ અને એના બે ભૂતપૂર્વ અધિકારીઓને સાવ મામૂલી દંડ કેમ?

હજી બે દિવસ પહેલાં સેબીએ કૉ-લૉકેશન કેસમાં એનએસઈને તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને અમુક બાબતે દોષિત ગણ્યા ખરાં, પરંતુ એમને લવિંગ કેરી લાકડીએ ફટકારતા હોય એમ મામૂલી દંડ કરવામાં આવ્યો છે. 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું મનાતા કૉ-લૉકેશન કેસમાં સેબીની એડજ્યુડિકેટિંગ ઑથોરિટીએ એનએસઈને કરેલા 1 કરોડ રૂપિયાના તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને કરેલા 25-25 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને સિક્યૉરિટીઝ માર્કેટના જાણકારો કહે છે કે આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી; ચિદમ્બરમ અને એનએસઈના સંબંધો વિશે સિક્યૉરિટીઝ માર્કેટનો નાનામાં નાનો માણસ પણ ઘણું બધું જાણે છે.

ભારતમાં પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે સિક્યૉરિટીઝ માર્કેટમાં કાળાં નાણાં લાવીને સફેદ કરવાની રમત વિશે પણ ‘ધ માર્કેટ માફિયા’માં વાત કરવામાં આવી છે. પાર્ટિસિપેટરી નોટ્સ માટે 2009માં બનાવાયેલી સમિતિમાં કે. પી. કૃષ્ણન, એનએસઈના તત્કાલીન એમડી-સીઈઓ રવિ નારાયણ, સી. કે. જી. નાયર અને અજય શાહ સામેલ હતા. આ બધી વ્યક્તિઓ કોઈક ને કોઈક રીતે ચિદમ્બરમની જ ટીમના માણસો છે અને એમને તથા એમના વહાલા એનએસઈને બધી રીતે સાચવવાનું કામ કરનારા લોકો છે. પુસ્તકમાં અનેક ચોંકાવનારી વિગતો છે. તેમાં કહેવાયા મુજબ સી. કે. જી. નાયરને સરકારી હોદ્દા પરથી નીકળ્યા બાદ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલમાં ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતા. એમનાં દીકરી 2013થી એનએસઈમાં કામ કરતાં હતાં.

એનએસઈના ઍલ્ગરિધમિક ટ્રેડિંગ કૌભાંડ વિશે એક વ્હીસલબ્લોઅરે 2015માં ફરિયાદ કર્યા બાદ સેબીએ જ્યારે એ વિષયે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અજય શાહને વર્ષો સુધી એનએસઈ પાસેથી મહત્ત્વપૂર્ણ ડેટા મળતા રહ્યા હતા. એમણે સંશોધનના નામે ડેટા મેળવ્યા અને ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે અને કેટલાક ગણ્યાગાંઠ્યા બ્રોકરોને આર્થિક લાભ કરાવવા માટે તેનો ઉપયોગ કર્યો.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનાર સામે કિન્નાખોરી

ટૂંકમાં, એનએસઈ સાથે સંકળાયેલા તમામ ઘટનાક્રમમાં પી. ચિદમ્બરમનો ઉલ્લેખ આવ્યા વગર રહેતો નથી. એનએસઈ સામે એક સમયે સ્પર્ધા ઊભી કરનારા એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સામ્રાજ્યને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનું નિમિત્ત બનાવીને તોડી પાડવાનું ષડ્યંત્ર રચાયું, એમાં પણ પી. ચિદમ્બરમનું નામ હોવાનું આ બ્લોગ વાંચનારા હવે સારી રીતે જાણે છે. આ ભૂતપૂર્વ નાણાપ્રધાનની નજીકના ગણાતા અજય શાહ એક સમયે નાણાકીય ક્ષેત્રના સુધારા માટેની આયોજન પંચની સમિતિમાં સભ્ય ન હોવા છતાં તેના પર વગ ધરાવતા હતા. હાલમાં જેમની સામે એનબીએચસી કેસમાં એફઆઇઆર નોંધાયો એ ડૉ. વિજય કેળકર કૉ-લૉકેશન કૌભાંડ જ્યારે ચરમસીમાએ હતું ત્યારે એનએસઈમાં બિન કાર્યકારી ચૅરમૅન હતા. કેળકર 13મા નાણાં પંચના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઈને એક્સચેન્જીસ બોર્ડમાં જોડાયા. નૈતિક દૃષ્ટિએ એમણે ખાનગી કંપનીમાં જોડાતાં પહેલાં બ્રેક લેવો જોઈએ, પરંતુ એમણે એમ કરવાને બદલે સીધેસીધો એનએસઈમાં પ્રવેશ મેળવી લીધો, કારણ કે ચિદમ્બરમની ટીમમાં એમની નિકટના હોવાનું મનાતા સી. બી. ભાવે એ વખતે સેબીના ચૅરમૅન હતા. સેબીને એક્સચેન્જોમાં થતી નિમણૂકોને મંજૂરી આપવાની કે નકારી કાઢવાની પૂરેપૂરી સત્તા હોય છે, જેનો ઉપયોગ એક જ ટોળકીના સાથીની નિમણૂકને મંજૂરી આપવા માટે થયો. કેળકરને ભૂતપૂર્વ સનદી અધિકારીઓની જેમ સરકારી પૈસે મળતી લક્ઝરીઓની આદત પડી ગઈ હોય એ સ્વાભાવિક છે. એ વખતે રવિ નારાયણે એનએસઈમાં એમને પોશ એરિયામાં ફ્લેટ અને શોફર ડ્રિવન ગાડીની સુવિધા પૂરી પાડી. એમનો પગાર પણ ખાનગી ક્ષેત્રની કંપનીના ટોચના અધિકારીઓને શરમાવે એટલો ઉંચો હતો. એનએસઈમાં કેળકરના કાર્યકાળ દરમિયાન જ એક્સચેન્જે રવિ નારાયણનું વાર્ષિક પૅકેજ વધારીને આશરે 8 કરોડ રૂપિયા કરી દીધું હતું.

ખરું પૂછો તો, ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક જેણે વાંચી લીધું હોય એને એનએસઈની સાથે સંકળાયેલી દરેક ઘટના પાછળનાં રહસ્યો આપોઆપ અને સહેલાઈથી સમજાઈ જાય એવાં છે. એ સમજાઈ ગયા બાદ એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહને કેન્દ્રમાં રાખીને પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેએ લખેલા ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં લખાયેલી દરેક વાત સાચી લાગે છે. આવતા વખતે આપણે ભારતીય નાણાકીય ક્ષેત્રની બીજી કેટલીક વાતો કરીએ ત્યાં સુધી આટલું જ……

(વધુ વિગતો માટે વાંચોઃ https://www.pgurus.com/c-company-to-the-market-mafia-the-story-of-the-deep-state-of-indias-financial-markets/)

——————

One thought on “બે પુસ્તકોમાં પી. ચિદમ્બરમ અને એમની ચંડાળચોકડીની કુંડળી ખૂલ્લી કરી દેવાઈ હોવા છતાં દેશના નાણાકીય તંત્રમાં એમની વગ ઓસરતી નથી!

  1. આ બાબત એ સાબિત કરે છે કે આપણા માનનીય વડા પ્રધાનની પણ એવી કોઈક રાજકીય મજબૂરી છે કે આજની તારીખે પણ તેઓ પી.સી. નો વાળ પણ વાંકો નથી કરી શક્યા અને તેના પીઠુઓનું વર્ચસ્વ અમાલદારશાહીમાં એટલુંજ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s