
ભારતનું અગ્રણી એક્સચેન્જ ગ્રુપ – ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ) એક્સચેન્જો ચલાવવા માટે ફિટ ઍન્ડ પ્રોપર નથી એવું કહીને તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડવાનું કામ સ્થાપિત હિતો (જેમાં પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે.પી. કૃષ્ણનનાં નામ બહાર આવ્યાં છે)એ કર્યું. એ રાજકારણી અને અમલદારોની કુટિલ ચાલ વિશે ‘ધ ટાર્ગેટ’ નામનું પુસ્તક શાંતનુ ગુહા રે લખી ચૂક્યા છે. યોગાનુયોગે એ પુસ્તક પ્રગટ થયા પછી એવી અનેક ઘટનાઓ બની જેમાં ‘ધ ટાર્ગેટ’માં લખાયેલી વાતો સાચી ઠરી છે.
જુલાઈ 2013માં એનએસઈએલની પૅમેન્ટ કટોકટીને લઈને એફટીઆઇએલ (નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પાસે પરાણે કંપનીઓ વેચાવી દેવાઈ હતી. હકીકતમાં એ કટોકટીના દોષિતો બીજા જ હતા, પણ દોષનો ટોપલો 63 મૂન્સ ટેક્નૉલૉજીસ પર ઢોળવામાં આવ્યો. હવે ખરા આરોપીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હાલમાં આપણે જોયું કે એફટીઆઇએલની પેટા કંપની – એનએસઈએલના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને પૅમેન્ટ કટોકટી માટે મુખ્ય જવાબદાર અંજની સિંહાની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એમને રાજના સાક્ષી બનાવીને જામીન પર છોડી દેવાયા હતા, પરંતુ હવે એમની સંડોવણીના વધુ પુરાવા મેળવીને એમની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત તાજેતરમાં એફટીઆઇએલની જ એક સમયની ગ્રુપ કંપની – નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ના ડૉ. વિજય કેળકર તથા અન્ય અધિકારીઓની વિરુદ્ધ કાજુ કૌભાંડમાં પંજાબ નૅશનલ બૅન્કની રાજામુંદ્રી શાખા દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવ્યો છે. એનબીએચસીનાં ગોદામોમાં કાજુને બદલે તેનાં છોતરાં રાખીને બૅન્કની સાથે છેતરપિંડી કરવામાં આવી એનો એ કેસ છે. આ બાબત પરથી કહી શકાય છે કે વાસ્તવમાં જે લોકો એનએસઈએલની પૅમેન્ટ કટોકટી માટે જવાબદાર અને ‘નોટ ફિટ ઍન્ડ પ્રોપર’ હતા એ લોકોની સામે હવે આરોપો ઘડાઈ રહ્યા છે.
અહીં જણાવવું રહ્યું કે હાલમાં www.pgurus.com વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ (https://www.pgurus.com/nbhc-another-jignesh-shah-idea-plundered-and-now-cbi-books-kelkar-shah/?fbclid=IwAR1p4sY39pDeN6I4i45Pdkg0hNEaSpdLXdjvnGkqf5TU-SxQr6l-KvWRkDI) અનુસાર નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશનની સ્થાપના કોઈ કૌભાંડ કરવા માટે નહીં, પણ એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના કામકાજમાં આવશ્યક કોમોડિટી વેરહાઉસિંગની સુવિધા પૂરી પાડવા માટે એફટીઆઇએલ દ્વારા કરવામાં આવી હતી. કોમોડિટીનો હાજરનો હોય કે વાયદાનો વેપાર હોય, બધામાં સાદાં અને ઍરકન્ડિશન્ડ વેરહાઉસીસની જરૂર હોય છે. એફટીઆઇએલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સ્થાપના કરતી વખતે કોમોડિટી વેપારનું એવું પરિતંત્ર બનાવ્યું હતું, જે કોમોડિટીના ઉત્પાદકોને એટલે કે ખેડૂતોને અને કોમોડિટીના વેપારીઓને ઉપયોગી થાય. વેરહાઉસીસ બનવાથી કોમોડિટી વેપારમાંથી વચેટિયાઓનું વર્ચસ્ દૂર થઈ જવાનું હતું, કારણ કે ખેડૂતો પોતાની ઊપજ પોતાની મરજી મુજબના સમયે વેચવા સક્ષમ થયા હતા.
ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એનબીએચસીને કારણે ખેડૂતોને ઉચિત ભાવ મળવામાં મદદ મળી હતી. એ ઉપરાંત કયા પાકનું કેટલા પ્રમાણમાં વાવેતર કરવું એનો અંદાજ તેઓ રાખવા સક્ષમ બન્યા હતા. તેના ફળસ્વરૂપે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ થવાની સંભાવના સર્જાઈ હતી. કૃષિ ક્ષેત્ર સિવાયના લાભ વિશે તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉચિત ભાવ મળવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટ્યો હતો અને આયાતનો ખર્ચ પણ ઘટ્યો હતો. સાથે જ લઘુ-મધ્યમ એકમોને વેગ મળ્યો હતો. એવા તો બીજા અનેક લાભ હતા, પણ આ બધું ફક્ત 2013 સુધી ચાલ્યું, કારણ કે સ્થાપિત હિતોએ જુલાઈ 2013માં એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જીને એફટીઆઇએલ પાસે પરાણે એ બધી કંપનીઓનું વેચાણ કરાવી દીધું.
વાંચકોને યાદ કરાવી દેવું ઘટે કે અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે સ્પષ્ટપણે જોઈ ગયા છીએ કે દેશમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને લાભ કરાવવાના ઉદ્દેશ્યથી તેના મોટા સ્પર્ધક એફટીઆઇએલને સ્પર્ધામાંથી દૂર કરી દેવા માટેનું ષડ્યંત્ર દેશમાં રચાયું હતું. જો એફટી ગ્રુપ જ ગરબડ કરનારું હોત તો એના નીકળી ગયા પછી તેની ભૂતપૂર્વ કંપનીઓએ ઘણી પ્રગતિ કરી હોત, પરંતુ વાસ્તવમાં એમસીએક્સથી માંડીને એનબીએચસી સુધીની કંપનીઓમાં કામકાજનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એનએસઈએલની તપાસનીશ સંસ્થાઓએ ફરી અંજની સિંહાને ઝબ્બે કરવા પડ્યા છે અને એનબીએચસીના કાજુ કૌભાંડમાં ડૉ. કેળકરનું નામ સામે આવ્યું છે.
થયું એવું કે એફટી ગ્રુપ પાસેથી એનબીએચસી વેચાવી દેવાયું ત્યારે તેની ખરીદદાર ‘ટ્રુ નોર્થ’ નામની વેન્ચર ફંડ કંપની હતી. ‘ટ્રુ નોર્થ’ વિશે હાલમાં પત્રકાર પલક શાહ લિખિત પુસ્તક ‘ધ માર્કેટ માફિયા’માં અનેક ચોંકાવનારી વિગતો પ્રગટ કરવામાં આવી છે. એનબીએચસીનું વેચાણ કરવામાં આવ્યું ત્યારે તેના વિકાસની ભરપૂર સંભાવનાઓ હતી, પરંતુ જ્યાં નવા સંચાલકોની નિયતમાં જ ખોટ હોય ત્યાં કંપનીનો વ્યવહાર ખાડે જાય એ સ્પષ્ટ છે.
https://www.pgurus.com આ સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડે ઉતરી છે. આપણે તેના વિશે આગામી કડીમાં વાતો કરીશું.
—————————-