ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ વિરુદ્ધ “63 મૂન્સ ટેક્નોલૉજિસ”એ માંડ્યો છે રૂપિયા 10 હજાર કરોડની નુકસાનનો દાવો…શા માટે?
જયેશ ચિતલિયા (દિલ્હી)
એનએસઈએલ (નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ)ના પ્રકરણને પાંચ વરસ પૂરાં થયા બાદ હવે છેલ્લા અમુક દિવસોથી એમાં નવા ઘટસ્ફોટ થવાના શરૂ થઈ ગયા છે.
અત્યાર સુધી એનએસઈએલની રૂપિયા 5600 કરોડની બધી જ આર્થિક ગરબડ માટે માત્ર ને માત્ર ફાઇનાન્શિયલ ટેક્નોલૉજિસ લિમિટેડ (એફટીઆઇએલ) એટલે કે જિજ્ઞેશ શાહ જવાબદાર છે એવું બહાર દર્શાવવામાં આવતું હતું, પરંતુ સત્ય કંઈક બીજું જ છે. સરકારી એજન્સી સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ના તાજા રિપોર્ટ મુજબ આ પ્રકરણમાં જવાબદાર છે ડિફોલ્ટર, બ્રોકરો, બ્રોરોઅર્સ-ડિફોલ્ટર ટ્રેડર્સ, નિયમન તંત્ર અને તે સમયની સરકાર ને એક્સચેન્જના ચોક્કસ અધિકારીઓ….
અત્યાર સુધી માત્ર એફટી ગ્રુપના સ્થાપક જિજ્ઞેશ શાહ અને એના ગ્રુપ સામે જ કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં હતાં અને બાકીની જવાબદાર હસ્તીઓ સામે નજીવી અને છૂટીછવાઈ કાર્યવાહી થતી હતી. હવે એસએફઆઇઓએ પેલી તમામ જવાબદાર વ્યક્તિઓ પ્રત્યે આંગળી ચીંધી છે.
દેશની સામે પ્રગટ થઈ રહેલા સત્યની વિગતો માટે જુઓ….. (સૌજન્યઃ ચિત્રલેખા ગુજરાતી સામયિક)

